News-Samiti

Feedback On This Page View Page Feedback

ANNUAL GENERAL MEETING AND SAMPARK YATRA ORGANISED BY CHHATTISGARH REGION AT KUMHARI
છત્તીસગઢ રિજિયન દ્વારા કુમ્હારી સમાજ ખાતે વાર્ષિક સામાન્ય સભા તેમજ સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KKP યુવા સંઘ છત્તીસગઢ રિજિયનના પ્રમુખ શ્રી યોગેશ છાભૈયા, સેન્ટ્રલ PRO શ્રી નિશાંત રામાણી, કાઉન્સિલ સેક્રેટરી શ્રી રાહુલ છાભૈયા, IPP શ્રી પવન દિવાણી, ઉપપ્રમુખ શ્રી હેમંત ધોળુ, મહાનદી વિભાગના પ્રમુખ શ્રી હર્ષદ માકાણી, મહામંત્રી શ્રી જીગ્નેશ નાકરાણી, PRO શ્રી નીતિન નાકરાણી, ખજાનચી શ્રી જયેશ દિવાણી, મંત્રી શ્રી મનીષ નાયાણી, વિભાગીય મંત્રી શ્રી પ્રકાશ રામાણી, વિભાગીય મંત્રી શ્રી ચેતન ભગત તથા સલાહકાર શ્રી કિશોર નાકરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય કારોબારી સભ્ય શ્રી યોગેશ છાભૈયા, PDO કૃષિ પર્યાવરણ શ્રી રાજેશ નાથાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય શ્રીમતી જ્યોતિબેન છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO YSK શ્રી નિલેશ પોકાર તથા ફોરેસ્ટ કાઉન્સિલ PDO સગપણ સંબંધિત શ્રી મનીષ પોકાર સહિતના કેન્દ્રીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી...કાર્યક્રમની શરૂઆત કુમ્હારી યુવા મંડળના મહામંત્રી શ્રી વસંત વાલાણી દ્વારા મહાનુભાવોને મંચસ્થ કરાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તથા કુળદેવી શ્રી ઉમિયા માતાજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મંચ સંચાલન CGR રિજિયનના મહામંત્રી શ્રી જીગ્નેશ નાકરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિશન ચેરમેન શ્રી હેમંત ધોળુના માર્ગદર્શન હેઠળ વિવિધ થીમના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. કન્વીનર, સહકન્વીનર અને સભ્યો દ્વારા કરવામાં આવેલા વિવિધ સેવાકીય કાર્યો તથા આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનોના ઉર્જાવાન વિચારો, અનુભવો અને યુવા સંઘના વિઝન અંગે CGR ના સલાહકાર શ્રી કિશોર નાકરાણી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. કુમ્હારી સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ દિવાણી તથા કુમ્હારી યુવા મંડળના પ્રમુખ શ્રી ગોવિંદ રૂડાણી દ્વારા પણ યુવાનોને પ્રેરણાદાયી ઉદબોધન આપવામાં આવ્યું હતું...સભા દરમિયાન સમાજહિતના વિવિધ સૂચનો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. મિશન 2040 તથા 13 થીમ અંગેની વિસ્તૃત જાણકારી શ્રી રાહુલ છાભૈયા, શ્રી નિશાંત રામાણી તથા શ્રી પવન દિવાણી દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે રિજિયન ચેરમેન શ્રી યોગેશ છાભૈયાના વરદ હસ્તે CGR ના નવા ઇન્સ્ટાગ્રામ પેજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિજિયન પ્રમુખ શ્રી યોગેશ છાભૈયાએ ઉપસ્થિત સમાજજનો અને યુવાનોને ઉદબોધન કરીને સમાજસેવા, સંગઠન અને યુવાનોની સક્રિય ભાગીદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું...આ પ્રસંગે આરોગ્ય કન્વીનર શ્રી નરેશ છાભૈયા, શ્રી મનીષ છાભૈયા તથા રિજિયન પ્રમુખ શ્રી યોગેશ છાભૈયા દ્વારા યુવા મંડળના પ્રતિનિધિઓને “રામ હૃદય કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ સમાજના યુવાનો અને સમાજજનો સુધી સેવાભાવના સાથે પહોંચાડવામાં આવી હતી...વાર્ષિક સામાન્ય સભા દરમિયાન મહાનદી ડિવિઝનના પ્રમુખ શ્રી હર્ષદ માકાણી તથા શિવનાથ ડિવિઝનના મંત્રી શ્રી ચેતન ભગત દ્વારા સાત યુવા મંડળોના વાર્ષિક કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાયપુર, બિલાસપુર, કોરબા, કુમ્હારી, રાજનંદગાંવ, બાલોદ અને જગદલપુર સહિતના વિવિધ યુવા મંડળોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા...આ સમગ્ર આયોજન માટે KKP કુમ્હારી શ્રી સમાજ અને મહિલા મંડળનો વિશેષ સહયોગ મળ્યો હતો. પ્રમુખ શ્રી ગોવિંદ રૂડાણી, મહામંત્રી શ્રી વસંત વાલાણી તથા સમગ્ર કુમ્હારી યુવા મંડળ ટીમનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે રિજિયન PRO શ્રી નીતિન નાકરાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજજનો, યુવા મિત્રો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

12-08-2026
 
   
Website Designed and Developed By : Pioneer