News

Feedback On This Page View Page Feedback
View in :
Search    : Samiti             :                                  Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 02-06-2026 148 UNITS OF BLOOD DONATED, 247 CITIZENS BENEFIT FROM FREE HEALTH CHECK-UP CAMP ORGANIZED BY PATIDAR YUVA MANDAL RAIPUR
શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા અધ્ય સમાજ સુધારક વડવાહ શ્રી નારાયણ રામજી લીંબાણી બાપા ની 143મી અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની 258મી જન્મ જયંતિ નિમિત્તે ભારતભર મા યોજાવતી રકતંજલીમાહ ના રૂપે તેજ કડી માં રાયપુર યુવા મંડળ દ્વારા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ,148 લોકોએ કર્યું રક્તદાન શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા આયોજિત રક્તદાન તથા નિઃશુલ્ક ચિકિત્સા તપાસ શિબિર રવિવારના રોજ શ્રી પાટીદાર ભવન, ફાફડીહ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં 148 લોકોએ રક્તદાન કરી "રક્તદાન-જીવનદાન"નો સંદેશ સાર્થક કર્યો. આ સાથે 247 લોકોએ આરોગ્ય તપાસ માટે સેમ્પલ આપ્યા, જેમની CBC, LFT, RFT, લિપિડ પ્રોફાઇલ, HBA1C, T3-T4-TSH જેવી મહત્વપૂર્ણ તપાસો નિઃશુલ્ક કરવામાં આવી. રક્તદાન દરમ્યાન છ.ગ. રિજિયન ના ચેયરમેન શ્રી યોગેશ ભાઈ છાભૈયા અને રાયપુર સમાજ , છ.ગ. સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીરામ હૃદય કીટ વિતરણ કરવા માં આવેલ હતું સેવાભાવથી આયોજિત આ શિબિરમાં શહેરના 16 નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ ડોક્ટરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિબિરમાં પધારેલ તમામ રક્તદાતાઓ અને નાગરિકોનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સમાજના ઉપાધ્યક્ષ શ્રી લીલાધર ભગત, ખજાનચી શ્રી જયંતી છાભૈયા, યુવા મંડળના અધ્યક્ષ શ્રી હરસુખ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ નાકરાણી, ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશ નાકરાણી, ભરત વાલાણી, ખજાનચી અને આરોગ્ય પ્રભારી શ્રી નરેશ છાભૈયા, આરોગ્ય મંત્રી શ્રી યોગેશ ભીમાણી, મંત્રી શ્રી દિવેશ પોકર, વસંત નાકરાણી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી મંજુલા બેન, મહામંત્રી શ્રીમતી નીશા બેન તેમજ મહિલા મંડળની કારોબારી સભ્યો પણ હાજર રહ્યા. કેન્દ્રીય સમાજ ના કારોબારી સભ્ય શ્રી ખીમજી ભાઈ પોકાર , છત્તીસગઢ રીજીયનના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને છ.ગ. સમાજના મંત્રી શ્રી ભગવાન ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
GENERAL
2 CGR 02-06-2026 EYE DONATION INSPIRES HUMANITY: CGR HONOURS DHANANI FAMILY WITH ‘MANAVTA GAURAV AWARD’ FOR NOBLE GIFT OF VISION
સ્વ. મણી બેન કાનજી ભાઈ ધનાણી (રામાંણી) પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ…સ્વ. મણીબેન કાનજી ભાઈ ધનાણી નું તારીખ ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. મણી બેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 02-06-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી કાનજી ભાઈ સાથે પુત્ર હરી ભાઈ , ચંદુ ભાઈ , મુકેશ ભાઈ અને સંપૂર્ણ ધનાણી પરિવાર ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન -યોગેશ છાભૈયા, મહામંત્રી -જીગ્નેશ નાકરાણી, હેલ્થ રિજિયન કન્વીનર - નરેશ છાભૈયા, છ.ગ. રિજિયન શિવનાથ ડિવિઝનલ ચેરમેન - રાજેશ ભાઈ છાભૈયા
GENERAL
3 CGR 31-01-2026 HUMANITY PRIDE AWARD HONORS LATE SAVITABEN HARIBHAI NAKARANI FOR NOBLE EYE DONATION
ચક્ષુદાતા સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ… સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી નું તારીખ ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. સવિતાબેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 26-01-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી હરિભાઈ સાથે પુત્ર દ્વિજેશ ભાઈ , બ્રીજેશ ભાઈ ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન યોગેશ છાભૈયા. મહામંત્રી જીગ્નેશ નાકરાણી. હેલ્થ રિજિયન કન્વીનર નરેશ છાભૈયા. સેન્ટ્રલ મેમ્બર યોગેશ છાભૈયા. રાયપુર યુવા મંડળ ના પ્રમુખ હરસુખ નાથાણી. ભરત વાલાણી. મનીષ છાભૈયા. યોગેશ ભીમાણી. ભાવેશ રૂડાણી. શિખર પોકાર. કેતન છાભૈયા.
GENERAL
4 CGR 03-10-2025 RAIPUR KUTCH KADVA PATIDAR YUVA MANDAL ORGANISES BLOOD DONATION CAMP UNDER ABKKP YUVASANGH
શ્રી રાયપુર યુવા મંડળ ના સંયુક્ત તત્વધાન માં તારીખ 02.10.2025 ના બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ અને સંપૂર્ણ સમાજ ના જ્ઞાતિ જનો બહુ મોડી સંખ્યા મા જોડાયા હતા સાથે રાયપુર યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને શ્રી નરેશ કેશરાણી સર્વે હોદ્દેદાર અને સંપૂર્ણ કારોબારી અને છ.ગ રીજીયોન ના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને ખજાનચી જયેશ દિવાણી અને આરોગ્ય કન્વીનર નરેશ કેશરાણી સહકન્વીનર મનીષ છાભૈયા અને છ.ગ રીજીયન ની હોદ્દેદાર અને કારોબારી ઉપસ્થિત રહ્યાં હતા. બોલ્ડ ડોનેશન કેમ્પ મા જે પણ બ્લડ કલેક્ટ કરેલ છે તે રાયપુર ની સારી અને નિઃશુલ્ક સત્ય સાઇ હોસ્પિટલ નવારાયપુર માં હાર્ટ બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે અને આ હોસ્પિટલ ની અંદર ક્યાં પણ કેશ કાઉન્ટર નથી પૂર્ણ રૂપ થી નિઃશુલ્ક છે.
GENERAL
5 CGR 02-10-2025 FREE HEALTH CHECKUP CAMP ORGANISED ON DUSSEHRA BY SHRI KUTCH KADVA PATIDAR YUVAK MANDAL RAJNANDGAON
શ્રી ક.ક.પાટીદાર યુવક મંડળ રાજનાંદગાંવ જય શ્રી લક્ષ્મીનારાયણ દશેરા આરોગ્ય દિવસ 2025 આજે Dussehera ના ઉપલક્ષ મા શ્રી પાટીદાર યુવક મંડળ રાજનાંદગાવ દ્વારા Free Health Checkup Camp નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ Camp મા Dental Checkup, Eye Checkup, Skin Care Checkup વિશેષજ્ઞો દ્વારા કરવા મા આવ્યુ. Dental care મા 76 Eye care મા 112 Skin Care મા 88 લોકો એ લાભ લીધો હતો. આ આરોગ્ય Camp, Om Dental and Skin Care Clinic અને Udhyachal Eye Care Clinic દ્વારા કરવામા આવેલ હતો.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer