News-Samiti

Feedback On This Page View Page Feedback

148 UNITS OF BLOOD DONATED, 247 CITIZENS BENEFIT FROM FREE HEALTH CHECK-UP CAMP ORGANIZED BY PATIDAR YUVA MANDAL RAIPUR
શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા અધ્ય સમાજ સુધારક વડવાહ શ્રી નારાયણ રામજી લીંબાણી બાપા ની 143મી અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની 258મી જન્મ જયંતિ નિમિત્તે ભારતભર મા યોજાવતી રકતંજલીમાહ ના રૂપે તેજ કડી માં રાયપુર યુવા મંડળ દ્વારા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ,148 લોકોએ કર્યું રક્તદાન શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા આયોજિત રક્તદાન તથા નિઃશુલ્ક ચિકિત્સા તપાસ શિબિર રવિવારના રોજ શ્રી પાટીદાર ભવન, ફાફડીહ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં 148 લોકોએ રક્તદાન કરી "રક્તદાન-જીવનદાન"નો સંદેશ સાર્થક કર્યો. આ સાથે 247 લોકોએ આરોગ્ય તપાસ માટે સેમ્પલ આપ્યા, જેમની CBC, LFT, RFT, લિપિડ પ્રોફાઇલ, HBA1C, T3-T4-TSH જેવી મહત્વપૂર્ણ તપાસો નિઃશુલ્ક કરવામાં આવી. રક્તદાન દરમ્યાન છ.ગ. રિજિયન ના ચેયરમેન શ્રી યોગેશ ભાઈ છાભૈયા અને રાયપુર સમાજ , છ.ગ. સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીરામ હૃદય કીટ વિતરણ કરવા માં આવેલ હતું સેવાભાવથી આયોજિત આ શિબિરમાં શહેરના 16 નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ ડોક્ટરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિબિરમાં પધારેલ તમામ રક્તદાતાઓ અને નાગરિકોનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સમાજના ઉપાધ્યક્ષ શ્રી લીલાધર ભગત, ખજાનચી શ્રી જયંતી છાભૈયા, યુવા મંડળના અધ્યક્ષ શ્રી હરસુખ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ નાકરાણી, ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશ નાકરાણી, ભરત વાલાણી, ખજાનચી અને આરોગ્ય પ્રભારી શ્રી નરેશ છાભૈયા, આરોગ્ય મંત્રી શ્રી યોગેશ ભીમાણી, મંત્રી શ્રી દિવેશ પોકર, વસંત નાકરાણી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી મંજુલા બેન, મહામંત્રી શ્રીમતી નીશા બેન તેમજ મહિલા મંડળની કારોબારી સભ્યો પણ હાજર રહ્યા. કેન્દ્રીય સમાજ ના કારોબારી સભ્ય શ્રી ખીમજી ભાઈ પોકાર , છત્તીસગઢ રીજીયનના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને છ.ગ. સમાજના મંત્રી શ્રી ભગવાન ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

02-06-2026
 
   
Website Designed and Developed By : Pioneer